અમદાવાદ – ગાંધીનગર , વડોદરા અને રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ નથી ત્યારે આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા એક સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશન સાથે સુરતમાં તેનું એક દર્દી દીઠ એકનું વિતણ શરૂ કરવામાં આવતા આજે ગાંધીનગરમાં રૂપાણી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એક તરફ સમસ્ગ્ર રાજયમાં રેમડેસિવિરની અછત છે ત્યારે સુરતમાં આટલી બધી માત્રામાં રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગાંધીનગરમાં અને અમદાવાદમાં આજે કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓ રેમડેસિવિર ઈન્જેકશન શોધી રહ્યાં હતા. તેમ છતાં તેમને મળ્યા ન હતા. બીજી બાજુ ઝાયડસ ગ્રુપ દ્વારા પણ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ બંધ કરી દેવાયુ હતું. સરકારી હોસ્પિટલમાં પણ બધાને સરળતાથી રેમડેસિવિર ઈન્જેકશન આપવામા આવે છે તેવુ પણ માની લેવુ મુશ્કેલ છે. કારણે કે આજે ગાંધીનગર સિવિલમાં જરૂરિયાતવાળા દર્દીઓને પણ આ રેમડેસિવિર ઈંન્જેકશન આપવામા આવ્યા ન હતા. ઝાયડસ ગ્રુપના જ રેમડેસિવિર ઈન્જેકશન સુરત પહોચી ગયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આજે જયારે અમદાવાદમાં સવારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યુ કે સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેકશનનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તે કેવી રીતે આવ્યા ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બાબતે સીઆરને પુછો. તેમણે કહ્યું હતું કે પાટીલે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કયાંથી કરી તે તેમને પુછો . સરકારે એક પણ ઈન્જેકશન આપ્યુ નથી.
Related Articles
રાજ્યમાં ઘેરાતું જતું ઓક્સિજનનું સંકટ
ગાંધીનગર : રાજયમાં હવે ઓકિસજનની અછતના સંકટ તરફ આગળ વધી રહયુ છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 ટન ઓકિસજનનની માંગ સામે 975 ટન ઓકિસજનનો પુરવઠો આપવામાં આવ્યો છે. જયારે મહારાષ્ટ્રને 1500 ટનની ડિમાન્ડ સામે 1661 ટન ઓકિસજન ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં સુરત , અમદાવાદ , ગાંધીનગર અને મહેસાણામાં ઓકિસજનની માંગ વધી જતાં દર્દીઓને સારવાર […]
વીસ્પી ખરાદીએ બીએસએફના જવાનોને ટ્રેનિંગ આપી
સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ BSFના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે. ઝારખંડની રાજધાની રાંચીના હજારી બાગ અને મધ્યપ્રદેશના ગ્વાલિયરના ટેકનપૂર ખાતે આવેલા BSFના ટ્રેનિંગ કેમ્પમાં કમાન્ડોને ઇઝરાઇલની […]
વલસાડ, વાપી અને પારડીમાં પાંચ ઇંચ વરસાદ
વલસાડ જિલ્લામાં બે દિવસમાં સારા વરસાદથી ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. વલસાડ અને પારડીમાં ગુરુવારે દિવસ દરમિયાન ૧૨ કલાકમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. જ્યારે વાપી-ધરમપુર તાલુકામાં દિવસ દરમિયાન ચાર-ચાર ઇંચ વરસાદ(RAIN) ઝીંકાયો હતો. જ્યારે ઉમરગામ તથા કપરાડામાં દિવસ દરમિયાન અઢી-અઢી ઇંચ વરસાદથી ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. વલસાડના અબ્રામા વિસ્તારમાં મણીબાગમાં પાણી ભરાઇ […]