રાજ્ય સરકારે વ્યાપારી સંગઠનોના સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો

રાજયમાં કોરોનાના એકજ દિવસમાં કેસો વધીને 10,000ને પાર કરી ગયા છે છતાં પણ સરકાર લોકડાઉન કરવા માટે તૈયાર નથી. હવે સરકાર ધંધાર્થીઓના ખભે લોકડાઉનની બંદુક ફોડવાના પ્રયાસો કરી રહ્યાં છે. આજે રાજયના સીએમ વિજય રૂપાણીએ ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , જામનગર , જૂનાગઢ , વિસનગર , સુરેન્દ્રનગર, ભાવનગર , ગાંધીધામ અને પાલનપુરના વેપારી મહાજનો સાથે કોરોનાના વધતાં જતાં કેસોના પગલે ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. આ વીડિયો કોન્ફરસન્માં રાજયમાં સત્તાવાર લોકડાઉન ટળી જવા પામ્યું હતું. રૂપાણીએ વેપારી મહાજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના પગલાને આવકારી લીધું હતું. રૂપાણીએ કહ્યું હતું કે, લોકો રોજગારી ન ગુમાવે- અર્થવ્યવસ્થા ચાલતી રહે તેમ ‘જાન ભી જહાન ભી ના’ મંત્ર સાથે રણનિતી ઘડાય તે આવશ્યક છે. વેપારી મહાજન મંડળોની સ્વૈચ્છિક બંધ અને આંશિક લોકડાઉનની પહેલને તેમણે આવકારદાયક ગણાવી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વહીવટી તંત્રને પૂરક બની કોરોનાકાળમાં જનસેવા કરવા સક્ષમ છે. ઓક્સિજન ઉત્પાદન, સિલિન્ડરના રિફિલિંગ અને વિતરણ વધારવામાં પણ GCCIની ભૂમિકા મહત્વની છે અને તે માટે રાજ્ય સરકાર લોજિસ્ટિક સપોર્ટ આપવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *