શુક્રવારે રાજ્યમાં નવા 2521 કેસ અને મૃત્યુ 27 નોંધાયા છે. સાજા થવાનો દર 93.36 ટકા પહોંચી ગયો છે. જે 25 દિવસ અગાઉ 74.46 ટકા હતો. મે મહિનામાં રિકવરી રેટમાં 20 ટકાનો વધારો થયો છે. એક્ટિવ કેસમાં પણ આ 25 દિવસમાં એક લાખથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેન્ડ મુજબ આગામી 15મી જૂન સુધી દૈનિક નવા કેસ 300થી પણ ઓછા આવશે અેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક લાખ એક્ટિવ કેસના ઘટાડામાં 76 હજારથી પણ વધારે ચાર મોટા શહેરોમાં છે.
Related Articles
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત […]
પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડવાના આરોપસર 150ની ધરપકડ
પાકિસ્તાનની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ શનિવારે દેશના પંજાબ પ્રાંતના એક દૂરના શહેરમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં કથિત રીતે સંડોવાયેલા મુખ્ય શંકાસ્પદ લોકો સહિત 50થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે અધિકારીઓને મંદિરની રક્ષા કરવામાં નિષ્ફળતા માટે ફટકાર લગાવ્યાના એક દિવસ પછી કરવામાં આવી હતી. બુધવારે મંદિર પર થયેલા હુમલાના સંદર્ભમાં તેઓએ […]
ઓડિશામાં 5મેથી 14 દિવસનું લોકડાઉન
ઓડિશા સરકારે કોરોનાના બેકાબૂ કેસોને કાબૂમાં લેવા માટે 5મેથી રાજ્યભરમા 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. રવિવારે એક પરિપત્રમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય સચિવ એસસી મહાપાત્રાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 5મેથી 19મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં આવશે. લોકડાઉન ઉપરાંત શહેરી વિસ્તારોમાં 15મી મેથી વિકએન્ડ શટડાઉન પણ અમલી થશે તેમ […]