મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં બનેલી રહેલા એક્વેરિયમ પાર્ક તથા મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોરોનાની ત્રીજી વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે એમ પણ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલો કંપની પાસેથી વેક્સિન મેળવીને આપી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થાય. રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનો ફર્સ્ટ ડોઝ ચાલુ છે. બીજો ડોઝનો વારો આવે ત્યારે એ આપવામાં આવશે. 18થી 44 વર્ષના લોકોને પણ વિનામૂલ્યે રાજ્ય સરકાર વેક્સિન આપશે. જે ખર્ચ થશે એ રાજ્ય સરકાર ભોગવશે. એકસાથે રસી લેવા મોટી સંખ્યામાં યુવાનો ભેગા ન થાય અને ધક્કા ન ખાવા પડે એ માટે રજિસ્ટ્રેશન ચાલુ રખાયું છે. અત્યારે દરરોજ સવા લાખ લોકોને રસી મફત આપવામાં આવે છે. જોકે ભવિષ્યમાં રજિસ્ટ્રેશનની જરૂર નહીં રહે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Related Articles
વડોદરાના કુંભારવાડા યુવક મંડળના બર્ફિલા પહાડની થીમ
વડોદરાના પાણીગેટ સ્થિત કુંભારવાડા સ્થિત કુંભારવાડા યુવક મંડળ દ્વારા હિમાલયની પર્વતમાળા બનાવી તેમાં ગણનાયકને બિરાજમાન કરાવવામાં આવ્યાં છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ
સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી […]
ગુજરાતના ખેડૂતોને હવે 8ને બદલે 10 કલાક વીજળી મળશે
રાજ્યમાં જુલાઈ માસમાં પણ વરસાદ ખેંચાવવાના કારણે અંદાજિત 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. મગફળી તેમજ કપાસનું વાવેતર બળી જવાની ભીતિ ખેડૂતોને લાગી રહી છે. જો કે આ મૂશ્કેલી વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે 7મી જુલાઈથી વધારાના બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં […]