ગુજરાતમાં 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરફ્યૂનો જે સમય છે તેને જ યથાવત જાળવી રાખવામાં આવ્યો છે. કરફ્યૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યો છે. 12 મેથી વધારીને 18 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
Related Articles
રાજ્યમાં આકરી ગરમી, તાપમાનનો પારો 41 ડિગ્રી પર
સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો હતો. રાજયમાં આજે સરેરાશ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ રહેવા પામ્યો હતો. બપોરે ૧થી ૫ વાગ્યા સુધી તીવ્ર ગરમી સાથે લૂની અસર પણ વર્તાતી હતી. કોરોના કાળમાં મહાનગરોના રાજમાર્ગો પણ સૂમસામ જોવા મળતાં હતા. […]
વીસકોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નહીં લાદવા નિર્ણય
ડિરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ, ભારત સરકારમાં એસોસિએશન ઓફ મેઇન મેડ ફાયબર ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા દ્વારા ચાઇનાથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તા. ર૦ જુલાઇ ર૦ર૦ના રોજથી ડીજીટીઆર દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ૮પ ટકા જેટલો વપરાશ […]
ગુજરાતમાં લેન્ડગ્રેબિંગ હેઠળ 345 ગુના
રાજયમાં અમલી બનેલા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વિવિધ જિલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ […]