આગામી ૧૫ દિવસ માટે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને કોરોના મહામારી બેકાબૂ બનતા ૧૦ મે થી ૨૪ મે સુધી ૧૪ દિવસનું લૉકડાઉન લાગુ કરાતા આજથી દેગુ કરવામાં આવેલ અમલીકરણમાં આજે પ્રથમ દિવસે સાબરકાંઠા-અરવલ્લી- બનાસકાંઠા સહિતની ગુજરાતની રાજસ્થાન બોર્ડરો ઉપર બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતની સાબરકાંઠાના વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા અને બનાસકાંઠાની અંબાજી પાસેની રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર તેમજ રતનપુર સહિતની બોર્ડરો ઉપર આજે બંને રાજ્યોની પોલીસ અને આરોગ્ય વિભાગે આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહિ ધરાવનાર એવા ખાનગી બંને રાજ્યોના થઈ ૧૦૦થી વધુ ખાનગી વાહનોને જે તે રાજ્યમાં પરત મોકલી આપવામાં આવ્યા હતા.
Related Articles
હિન્દુ મિલન મંદિરની ગલીના અનિલ જરીવાલાનો કુદરતી દ્રશ્યનો સેટ
સુરતના ગોપીપુરા સોનીફળિયા વિસ્તારમાં અનિલ જરીવાલાએ તેમના ઘરમાં જ ગણપતિ પ્રકૃતિ વનમાં બિરાજમાન હોય તે પ્રકારનો ઝરણા સાથેનો સુંદર સેટ ઘરમાં જ તૈયાર કર્યો છે. આ ગણેશ ભક્તે કરેલી મહેનત માટે તેમને વધારેમાં વધારે લાઇક આપો (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, […]
કોરોનાથી ગુજરાતમાં આઇપીએસ ડો. મહેશ નાયકનું નિધન
આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે […]
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા 6 ઝડપાયા
સુરત પોલીસે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતાં છ લોકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 12 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. આ કાંડમાં સંડોવાયેલા કલ્પેશરણછોડભાઈ મકવાણા (ઉ.વ. ૨૩ રહે : એ -૩૮૬ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ),(ઉ.વ : ૨૧ રહે . ઘર નં : ૭૧ મુક્તિધામ સોસાયટી પુણાગામ),શૈલેષભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ. ૨૯ રહેઃ […]