કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડિકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડિયેટ સેમેસ્ટર ર, ૪ અને જ્યાં સેમેસ્ટર ૬ પણ ઇન્ટરમિડિયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે ૯.૫૦ લાખ જેટલી થવા જાય છે. ઇન્ટરમિડિયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ હેતુસર માર્કસની ગણતરી માટે પ૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ પ્રિવીયસ-સેમેસ્ટરના આધારે આપવામાં આવશે. જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમેસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલા ખરેખર ગુણ ધ્યાને લેવાશે.
Related Articles
સુરતમાં 2 ફૂટ સુધીની મૂર્તિનું ફરજિયાત ઘરઆંગણે વિસર્જન
આવતા સપ્તાહે સુરતના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ સાર્વજનિક રીતે ઉજવી શકાયો ન હતો. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતાની સાથે જ ગણેશભક્તોમાં ખુશીની લહેર દોડી ગઇ છે. સુરત મહાનગર પાલિકાએ પણ કૃત્રિમ તળાવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. દરમિયાન સુરત શહેર ગણેશ […]
આઇએએસની બદલી, ડાંગના નવા કલેક્ટર પંડ્યા
રાજય સરકારે તાજેતરમાં કરેલા આઈએએસની બદલીના આદેશમાં આંશિક ફેરફાર કરીને સરકારે ડાંગના નવા કલેકટર તરીકે નીમાયેલા એ.એમ.શર્માને હવે પોરબંદરના નવા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જયારે ડાંગના નવા કલેકટર તરીકે બી.કે.પંડ્યાની નિમણૂક કરી દીધી છે. જયારે મહિલા બાળ કલ્યાણ વિભાગમાં આઈસીડીએસ ડાયરેકટર તરીકે નિમણૂક કરી છે.અમદાવાદમાંથી અધિક કમિશનર (ટેકસ) બી. કે. પંડયાને ડાંગ કલેકટર […]
સુરતમાં 100 બ્રાન્ડેટ રિટેઇલર્સ હવે એક જ સ્થળે
સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા અન્ય રાજ્યોથી આવતા ગ્રાહકોની સુવિધા માટે અને છેતરપિંડી રોકવા માટે સુરત રેલ્વે સ્ટેશન નજીક ડોરીવાલા સ્કવેરમાં સુરતની પ્રખ્યાત 100 મેન્યુફેક્ચરિંગ કંપનીઓનેએકત્રિત કરી 1 તારીખથી વેપારનો શુભારંભ કરવામાં આવશે પ્રમુખ દિપક ભાઇ શેટાએ જણાવ્યું હતું કે સુરતની સાડી અને ડ્રેસ મટીરિયલ્સ દેશ-દુનિયામા પ્રખ્યાત છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓ સાડી અને ડ્રેસમટીરિયલ્સની […]