પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.
Related Articles
ભરૂચ નેત્રંગ રોડ પર અકસ્માતમાં પાંચના મોત
નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર આવેલ વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી. ઇકો કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જર સવાર હતા. જેઓની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક તબક્કે માર્ગ ઉપર જઈ રહેલ લોકોએ જ બચાવ કામગીરી આરંભી હતી. જેમાં ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં […]
નિલય જરીવાળાનું શ્રીનાથજીના ડેકોરેશન સાથે શ્રીજીનું સ્થાપન
સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
રૂપાણીનાં મંત્રીઓએ બે દિવસમાં બંગલો ખાલી કરવો પડશે
કેબિનેટના સભ્યોની શપથવિધિ યોજાવાની છે તેવી અટકળોના પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે મહત્વનો આદેશ કરીને સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2ના સ્ટાફની બદલીના હુકમો કર્યા બાદ ત્વરીત પૂર્વ મંત્રીઓની ઓફિસમાંથી સામાન ખસેડી લેવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ ઓફિસો ખાલી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીઓને તેમના બંગલા પણ બે દિવસની અંદર ખાલી કરવાનું કહેવાયું […]