સુપ્રસિદ્ધ ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું આજે નિધન થયું છે. લાંબા સમયથી જી ન્યૂઝમાં એન્કર રહેલા રોહિત સરદાના હાલના દિવસોમાં આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરતા હતા. તેમના મોત બાદ મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું છે. આ સિવાય તેઓ કોરોનાનો ભોગ પણ બન્યા હતા, જેની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.
