સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાંઆવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા આરક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘનકરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય. સાથે જ મરાઠા આરક્ષણનેલોગુ કરતી વખતે 50 ટકાની લિમિટને તોડવી તે કોઈ બંધારણીય આધાર ન હતો.કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહનીના કેસમાં બીજી વખત વિચાર કરવાની જરૂર નથી.મહારાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ ન હતી કે મરાઠા આરક્ષણ જરૂરી બની જાય. આ સિવાય કોર્ટે નોંધ્યું કે અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી નોકરીઓઅને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ આરક્ષણ મળશે નહિ.
Related Articles
તામિલનાડુમાં વધુ એક એશિયાટિક સિંહ કોરોનામાં દમ તોડ્યો
કોરોનાની સારવાર હેઠળના એક એશિયાટીક સિંહે બુધવારે દમ તોડી દીધો હતો. અહી, છેલ્લા બે અઠવાડિયાના સમયમાં પ્રાણી સંગ્રહાલયમાં આ બીજું માંસાહારી પ્રાણી છે જે કોરોના વાયરસનો શિકાર બન્યું છે. આ અગાઉ, સિંહણ કોરોનાનો પ્રથમ શિકાર બની હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 12 વર્ષના સિંહને ઉપનગરીય વંદલુંર ખાતે આવેલા આર્ગિનાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કના સફારી વિસ્તારમાં […]
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 38,628 કેસ નોંધાયા
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,18,95,385 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાના કારણે વધુ 617 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,27,371 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. મંત્રાલયના સવારે 8 વાગ્યે અપડેટ થયેલા આંકડા દર્શાવે છે […]
દોઢ કલાક સુધી ચાલી પીએમ મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયામ મુખ્યમંત્રીએ તેમના ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. આ બેઠક દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. […]