બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સારવાર અંતર્ગત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના અવસાનને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. અગાઉ સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. 1985ની બેચના આઈએએસ અધિકારી રહી ચુકેલા અરૂણ કુમાર સિંહ મુખ્ય સચિવ બન્યા તે પહેલા બિહારના વિકાસ અધિકારી હતા. આ વર્ષે જ તેઓ મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જાણવા મળ્યા મુજબ 15 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને પટના ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેબિનેટની બેઠક દરમિયાન મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહના અવસાનના સમાચાર જાણીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેબિનેટના સદસ્યોએ શોક વ્યક્ત કર્યો હતો. બિહારમાં અત્યાર સુધીમાં અનેક અધિકારીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
Related Articles
એનસીપી નેતા અજીત પવારની પત્નીની સુગર મિલ જપ્ત
એક સમયના ભાજપના સાથીદાર ગણાતા શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એ સાબિત કરી બતાવ્યું હતું કે, રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની વિચારધારામાં ઉત્તર દક્ષિણનો તફાવત છે તેમ છતાં તેઓ સાથે આવી ગયા. ભાજપ પણ અગાઉ વિચારધારાથી બિલકુલ વિપરીત પીડીપી સાથે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી […]
હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રાણીઓ સુધી પણ પહોંચી ચુકી છે.કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. અહીંના નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ […]
ગાઇડલાઇનનું પાલન થાય તો ગુજરાતની 80 ટકા હોસ્પિટલ બંધ થઇ જાય
સર્વોચ્ચ અદાલતે આજે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે તે જસ્ટિસ(નિવૃત્ત) ડી.એ. મહેતા પંચનો અહેવાલ તેની વિધાનસભાના આગામી સત્રના પ્રથમ દિવસે જ મેજ પર મૂકે, જે પંચે ગયા વર્ષે રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલોમાં બનેલા આગના બનાવોની તપાસ કરી હતી જે આગમાં ૧૩ દર્દીઓ માર્યા ગયા હતા. ગુજરાતમાં હોસ્પિટલોની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સખત રીતે […]