પશ્વિમ બંગાળમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે એક મોટી ઘટના બનવા પામી છે. અહીં એક ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઘરે બોમ્બ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. પશ્વિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના ઘરની બહાર બુધવારે સવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આ ઘટનાની ટ્વિટ દ્વારા માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, પશ્વિમ બંગાળમાં ગંભીર પ્રકારની હિંસક ઘટનાઓ ઘટવાનું નામ નથી લેતી. આજે સવારે જ સાંસદના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ થયો તે ચિંતાનો વિષય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. હું આમ મામલામાં તાત્કાલિક કાર્યવાહી થાય તેવી અપેક્ષા કરૂ છું.જ્યાં સુધી અર્જુનસિંગની સુરક્ષાનો સવાલ છે આ મામલો હું પહેલા પણ ઉઠાવી ચૂક્યો છું. મળતી માહિતી પ્રમાણે જ્યારે સાંસદના મકાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેઓ ઘરે હાજર નહીં હતાં. અર્જુનસિંગ ભાજપના સાંસદની સાથે સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે. જો કે આ ઘટના બની ત્યારે તેમના પરિવારજનો ઘરે હાજર હતાં. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ઘરે લગાડેલા સીસીટીવીનો અભ્યાસ શરૂ કર્યો છે જેથી બોમ્બ ફેંકનારાની જાણકારી મળી શકે. તો બીજી તરફ આ મામલે અર્જુનસિંગનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમએ કહ્યું છે કે, પેટા ચૂંટણી પહેલા મને મારવાની કોશિશ કરવામાં આવી છે. કારણ કે, મને ભવાનીપુરનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટનાની તપાસ પણ બંગાળ પોલીસ જ કરી રહી છે એટલે પહેલાના અન્ય કેસની જેમ આ તપાસ પણ રફેદફે કરી દેવામાં આવશે. આ મામલામાં કોઇ એફઆઇઆર પણ નહીં થશે અને કોઇ ચાર્જશીટ પણ નહીં થશે.
Related Articles
બારામુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતી સેના, એક ઠાર
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં એક આતંકવાદીને ઠાર થયો હતો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. શંકાસ્પદ હિલચાલ જોયા બાદ શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર ઘુસણખોરી વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉરીમાં એલઓસીની બીજી […]
મહારાષ્ટ્રમાં મૃત્યુંઆંક 149 પર પહોંચ્યો, બેલ્જિયમમાં પણ પૂર
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવવાની સાથે આજે આ પૂર હોનારતનો મૃત્યુઆંક વધીને ૧૪૯ પર પહોંચ્યો છે જેમાં મોટાભાગના લોકો ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં માર્યા ગયા છે.મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે થયેલા ભૂસ્ખલનની ઘટના બાદ અત્યાર સુધીમાં ૯૦ લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૩ લોકો ગુમ છે. એમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ […]
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહનનું નિધન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનું સોમવારે મોડી રાતે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે દિલ્હીમાં તેમના અંતિમ શ્વાસ લીધા. જગમોહનના નિધનના સમાચાર પરિવારે ટ્વિટર દ્વારા આપ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જગમોહનને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જગમોહન જમ્મુ-કાશ્મીરના ગર્વનર હોવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે. તેઓ થોડા સમય માટે દિલ્હી અને ગોવાના […]