રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા છે, આમ સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 160 એક્ટિવ કેસ છે. તેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 155 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,63,036 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,085ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 78,957ને પ્રથમ અને 67,802ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,42,081 અને બીજો ડોઝ 69,096ને અપાયો હતો. આમ કુલ 4,63,036 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
નિતીન પટેલ કોરોનાની સારવાર લઇને કોર કમિટિની બેઠકમાં હાજર
કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર કોર કમિટીમાં બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર ખાતે મીડીયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકારે અસરકારક કામગીરી કરી છે જેના […]
કોરોનામાં ભાવનગર ગ્રામ્યમાં એક મોત નોંધાયું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને 16 થયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં વધુ એક કોરોના દર્દીઓનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,082 થયો છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપા, વડોદરા મનપામાં 4-4, ભાવનગર ગ્રામ્યમાં 3, સુરત મનપા-ગ્રામ્યમાં 2-2 […]
રેમડેસિવિર વિતરણ પ્રકરણમાં સીઆર પાટીલને હાઇકોર્ટની નોટિસ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત […]