દરવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર નીકળે છે. જોકે લોકવાયકા મુજબ રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંત રાખવાની એક પરંપરા છે. આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે ઔષધિ આપવામાં આવતા હોવાની પણ લોકમાન્યતા છે. જે કોરોના સાથે ઘણી સુસંગત છે. એવી માન્યતા છે કે, જેઠ માસની પૂનમે ખૂબ જ ગરમી હોવાથી તેમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તે દિવસે ખૂબ ગરમી હોવાથી તેમને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે. જેમ કોરોનામાં દર્દીનું ધ્યાન રખાય છે તે રીતે ભગવાનને પણ સાત્વિક ભોજન આપવામાં આવે છે. તેમને મગની દાળના લાડુ, તુલસીના પાન, લીમડાનો રસ તેમજ ઉકાળો આપવામાં આવે છે. ત્યારે અમરોલીના લંકા વિજય મંદિરમાં ભગવાન જગન્નાથ બીમાર પડતા મંદિરના મહંત સીતારામદાસ બાપુ દ્વારા આજે 11 પ્રકારની આયુર્વેદિક દવા પીવડાવવામાં આવી હતી. ભક્તો દ્વારા ભગવાન આ બીમારીમાંથી સાજા થઇને આ વિશ્વને કોરોનામાંથી મુક્ત કરે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી. જોકે ગત વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા કોરોનાના કારણે નગરચર્યાએ નીકળી ન હતી ત્યારે હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આગામી અષાઢી બીજે રથયાત્રાની તંત્ર દ્વારા પરવાનગી આપશે કે કેમ જેની ભક્તો રાહ જોઇ રહ્યા છે.
Related Articles
ધરમપુર – બારડોલીના વિકાસ નકશા મંજૂર
રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફિકેશનને મંજૂરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા […]
રાજ્યમાં કોરોનાના નવા કેસ 11હજારને પાર
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 117 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, આજે સુરત મનપામાં સૌથી 28 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 5494 થયા છે. આજે થયેલા 117 મૃત્યુમાં […]
હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ […]