ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ – પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે. રવિવારે અહીં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી વેધર ફોરકાસ્ટ કરતાં ગ્રુપ સ્કાયમેટ દ્વ્રારા પણ ચોમાસુ ૧૦૩ ટકા રહેશે તેમ જણાવ્યું છે.હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશમાં ૯૬થી ૯૮ ટકા વરસાદ રહેશે.
Related Articles
રાજ્યના 172 તાલુકામાં વાવણી લાયક વરસાદ
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજયમાં છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં કચ્છના અંજદારમાં 4 ઈંચ વરસાદ થયો છે. સાંજ સુધીમાં રાજયમા 152 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ગાંધીધામમાં 3 ઈંચ , થાનગઢમાં પોણા ત્રણ ઈંચ , મેંદરડામાં પોણા ત્રણ ઈંચ, ઘોરાજીમાં અઢી ઈંચ, ગઢડામાં […]
ખેરગામ તાલુકામાં સો ટકાને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો
કોરોના રસીકરણ ઝુંબેશમાં આદિવાસી વિસ્તાર ધરાવતો ખેરગામ તાલુકો કે જ્યાં ભ્રામક માન્યતા વચ્ચે અનેક લોકો રસી મુકાવવા આવતા ન હતા,ભ્રમિત થયેલા લોકોને પણ આરોગ્ય કર્મચારીઓ, તબીબી અધિકારીઓ,રાજકીય આગેવાનોએ ઝુંબેશને વેગવંતી બનાવી રસીકરણનો જથ્થો બમણાથી વધુ પ્રમાણમાં મળતાં આરોગ્ય કર્મીઓની અથાક મહેનતના લીધે ખેરગામ તાલુકાએ રસીકરણના પ્રથમ ડૉઝ માટે સો પ્રતિશત સિદ્ધિ પ્રાપ્ત કરી નવસારી જિલ્લા […]
રેમડેસિવિર વિતરણ પ્રકરણમાં સીઆર પાટીલને હાઇકોર્ટની નોટિસ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત […]