રાજ્યમાં વધુ 180નાં મોત

રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 14,327 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 180 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 25નાં મોત સાથે રાજ્યમાં કુલ 180નાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7010 થયા છે.સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 13, જામનગર શહેરમાં 10, ભાનગર શહેર 3, ગાંધીનગર શહેર 1, જૂનાગઢ શહેરમાં 2, સાબરકાંઠામાં 9, સુરેન્દ્રનગર 8 સહિત કુલ 180 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ આજે 9544 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,08,368 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 73.82 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 5258, સુરત શહેરમાં 1836, વડોદરા શહેરમાં 639, રાજકોટ શહેરમાં 607, ભાવનગર શહેરમાં 242, ગાંધીનગર શહેરમાં 171, જામનગર શહેરમાં 386 અને જૂનાગઢ શહેરમાં 163 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 356, તાપી 115, ભરૂચ 185, નવસારી 128, વલસાડ 130 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,37,794 વેન્ટિલેટર ઉપર 572 અને 1,37,222 દર્દીઓ સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં- કુલ 96,33,415 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 22,89,426 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,19,22,841 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 62,026 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 88,549 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *