રાજ્યમાં કોરોનાથી વધુ 140નાં મોત

સોમવારે અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 10, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 9, ભાનગર શહેર 5, જૂનાગઢ શહેર 4, મહેસાણામાં 3, ગાંધીનગર શહેર 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગર 4 સહિત કુલ 140 દર્દીએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ સોમવારે 11,999 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 74.46 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4616, સુરત શહેરમાં 1309, વડોદરા શહેરમાં 497, રાજકોટ શહેરમાં 397, ભાવનગર શહેરમાં 431, ગાંધીનગર શહેરમાં 155, જામનગર શહેરમાં 393 અને જૂનાગઢ શહેરમાં 148 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 347, જામનગર ગ્રામ્ય 319, ભરૂચ 101, નવસારી 160, વલસાડ 125, મહેસાણા 493, વડોદરા ગ્રામ્ય 439 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,47,499 વેન્ટિલેટર ઉપર 747 અને 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *