તાઉતે વાવાઝોડાના કારણે સૌથી ઉર્જા વિભાગ સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યો છે. રાજ્યના ૯૬૮૫ જેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. તેમાંથી ઉર્જા વિભાગે ઝડપી કામગીરી કરીને ૫૪૮૯ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો. તેમ છતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સેંકડો ગામમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. તે સાથે વાવાઝોડામાં વૃક્ષ પડવાથી કે જળબંબાકાર થવાના કારણે ૯૫૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. ૮૯૯ જેટલા રસ્તાઓ માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરી કરીને ખોલી દેવાયા હતા.
Related Articles
21 વર્ષ સુધીના નિરાધારને રાજ્ય સરકાર સહાય કરશે
રાજયમાં કોરોનાની બીજી લહેર વખતે માતા પિતાનું અવસાન થતાં 776 જેટલા બાળકો નિરાધાર થયા છે. આ બાળકોને સહાય કરવા જાહેર કરાયેલી મુખ્યમંત્રી બાળ સહાય યોજના અન્વયે 18 વર્ષની વય સુધી સરકાર દર મહિને 4000ની સહાય કરશે તેવી જાહેરત કરાઈ હતી. આજે તેમાં સુધારો કરીને સીએમ વિજય રૂપાણીએ એવી જાહેરત કરી હતી કે હેવ આવા નિરાધાર […]
good news:16 કરોડનું ઇન્જેક્શન આવી જતા ધૈર્યરાજની સારવાર શરૂ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવુ જરૂરી હતું, જોકે, એક મધ્યવર્ગીય પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી હોય, તેથી ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ રાઠોડે ધૈર્યરાજના નામે ‘ઈમ્પેક્ટ ગુરુ’ નામની […]
સાઇમોહન રો હાઉસ વડોદના મનિષ કાપિડયાના શ્રીગણેશ
સુરતના વડોદ ભેસ્તાન રોડ ઉપર આવેલા સાઇ મોહન રો હાઉસમાં મનિષ કાપડિયા દ્વારા ગણપતિનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)