દિલ્હીમાં એક અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન

દિલ્હીમાં કોરોનાના નવા કેસ અને સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. ઘટડતાં સંક્રમણ દર વચ્ચે દિલ્હી સરકારે ફરી એક વાર લોકડાઉન લંબાવવાનું નક્કી કર્યું છે. અહીં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવાયું છે. હવે દિલ્હીમાં ૩૧ મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે.૧૮ એપ્રિલથી દિલ્હીમાં શરૂ થયેલું લોકડાઉન ૨૪ મેના રોજ પૂરું થવાનું હતું, પરંતુ આ પહેલાં સીએમ કેજરીવાલે આને એક અઠવાડિયા લંબાવવાની જાહેરાત કરી છે. હવે દિલ્હીમાં ૩૧ મે સુધી લોકડાઉન લાગુ રહેશે. રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરતાં સીએમ કેજરીવાલે કહ્યું કે, એક મહિનામાં દિલ્હીની શિસ્તને કારણે કોરોનાની લહેર નબળી પડતી જોવા મળી રહી છે. એપ્રિલમાં ૩૬ ટકા સંક્રમણ દર પહોંચી ગયું હતું, આજે ઓછા લોકો સંક્રમિત સામે આવે છે. તેમણે કહ્યું કે, રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૦૦ કેસ સામે આવ્યા છે. કેજરીવાલે વેક્સિન અંગે વાત કરતાં કહ્યું કે, વેક્સિનની બહુ કમી છે. વેક્સિનની મુશ્કેલીનું સમાધાન આપણે બધા મળીને કાઢીશું. તેમણે કોરોના મહામારી દરમિયાન ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, ડોક્ટર્સ અને નર્સ સંપૂર્ણ રીતે સેવાભાવમાં જોડાયેલા છે. આ દરમિયાન આપણે આપણા કેટલાક ડોક્ટર્સને પણ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે, હજુ યુદ્ધ બાકી છે. અત્યારે પણ એક હજારથી વધુ કેસ આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *