પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના માટે થયેલી વ્યવસ્થાને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને અધિકારીઓના વખાણ પણ કર્યા હતા.આ વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાથી મોતને ભેટનારા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી અને આ દરમિયાન માર્યા ગયેલા ડોકટરોને યાદ કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ છલકયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોરોના સામેના જંગમાં ડોકટરોનુ યોગદાન પ્રશંસાપાત્ર છે.આ વાતચીત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસે આપણા કેટલાય સ્વજનોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે. આ તમામ લોકોને હું શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરુ છું. કાશીના એક સેવક હોવાના નાતે હું આ જંગમાં મદદ કરનાર કાશીના દરેક નાગરિકનો અને ખાસ કરીને ડોકટરો, નર્સ, ટેકનિશિયન, વોર્ડ બોય, એમ્બ્યુલન્સ ડ્રાઈવર તમામનો આભાર માનુ છું. તમે જે કામ કર્યુ છે તે બિરદાવવા લાયક છે.બનારસે જે ઝડપથી આટલા ઓછા સમયમાં ઓક્સિજન તેમજ આઈસીયુ બેડની સંખ્યા વધારી છે તે ખરેખર ઉદાહરણીય છે.તેમણે ડોકટરોને કહ્યુ હતુ કે, તમારી તપસ્યાના કારણે આ મહામારીને આપણે નિયંત્રીત કરી શક્યા છે.જોકે હજી સંતોષ પામવાનો સમય નથી. લાંબી લડાઈ લડવાની છે. બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવાનુ છે. ગામડાઓમાં જે રીતે દવાઓ વહેંચવામાં આવી રહી છે તે સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારમાં શક્ય હોય તેટલુ વ્યાપક બનાવવાનુ છે.આપણી આ લડાઈમાં હવે બ્લેક ફંગસનો પડકાર પણ ઉભો થયો છે. તેનાથી કામ પાર પાડવા જરુરી સાવધાની રાખવી પડશે.
Related Articles
બંગાળ-ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ
વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ‘યાસ’ સોમવારની […]
ભારતમાં રોજનું દોઢ કરોડ લોકોનું વેક્સિનેશન : નરેન્દ્ર મોદી
ભારત દેશભરમાં કોવિડ-૧૯ની રસીના રોજના ૧.૧પ કરોડ ડોઝ લોકોને મૂકે છે એમ વડાપ્રધાન મોદીએ આજે જણાવતા કહ્યું હતું કે આ આંકડો કેટલાક દેશોની સમગ્ર વસ્તી કરતા પણ મોટો છે. હિમાચલ પ્રદેશમાં રસી લેવાલાયક તમામ વસ્તીને કોવિડની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો તે પ્રસંગે આ રાજ્યની પ્રજાને સંબોધન કરત મોદીએ કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં […]
હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રાણીઓ સુધી પણ પહોંચી ચુકી છે.કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. અહીંના નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ […]