છત્તીસગઢમાં નક્સલી હુમલામાં પાંચ જવાન શહિદ

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આ પૈકી 4 CRPF અને એક DRG જવાન છે. 3 નક્સલવાદીને પણ ઠાર કરવામાં આવ્યા છે. તર્રમ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં અથડામણ ચાલુ છે. SP કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમા ગામમાં થઈ છે. હુમલો કરનારા નક્સલવાદીઓ આ ટીમના સભ્યો હતા. ઘણા સમયથી આ ગામમાં નક્સલવાદીઓનો જમાવડો થયેલો હતો. આ અંગે માહિતી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા. છત્તીસગઢમાં છેલ્લા 10 દિવસમાં બીજી વખત નક્સલવાદીઓ તરફથી હુમલો થયો છે. આ અગાઉ 23 માર્ચના રોજ હુમલામાં પણ 5 જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓના નારાયણપુરમાં IED બ્લાસ્ટ કરી કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *