ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી. હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે ચીનમાં વસ્તીઓનો એક મોટો ભાગ ઝડપથી વૃદ્ધ થઇ રહ્યો છે. આવામાં ચિંતિત ચીને આ પગલું ભર્યું છે. ચીની મીડિયા પ્રમાણે, નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે દાયકાઓથી ચાલી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીનમાં દૂર કરવામાં આવી છે. તાજેતરમાં જ ચીને વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર, છેલ્લા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી. આંકડા અનુસાર, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકી હતી, જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ગતિ ૦.૫૭ ટકા હતી. એટલે છેલ્લા બે દાયકામાં ચીનનમાં જનસંખ્યા વધવાની ગતિ ઘટી છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં માત્ર ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે ચીનમાં વર્ષ ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી ઓછી થઇ.
Related Articles
ભારતમાં કોરોનાના અનેક કેસ વણશોધાયેલા રહે છે
ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલા કેસની સામે ૩૦ કેસો એવા છે કે જે શોધાયા વગરના રહ્યા છે કે ચુકી જવાયા છે, એમ આઇસીએમઆરના ચોથા સેરો-સર્વેનું એક સ્વતંત્ર રોગચાળાશાસ્ત્રી ડો. ચંદ્રકાંત લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે. આ જાહેર આરોગ્ય નિષ્ણાતે પોતાનું વિશ્લેષણ ટ્વીટર પર મૂક્યું છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલ […]
ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર
ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા (એક પ્રકારનું બ્લડ કેન્સર) થયું છે. હાલમાં તેમની તબિયત સુધારાં પર છે. એમ તેમના પતિ અનુપમ ખેરે ગુરુવારે જણાવ્યું હતું.ટ્વિટર પર અનુપમ ખેરે એક નિવેદનમાં કહ્યું કે, તેમની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. ખોટી અફવાઓ ન ફેલાય તે માટે અનુપમ ખેર અને તેમના પુત્ર સિકંદરે જણાવ્યું કે, […]
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 100ની નવી નોટ બહાર પાડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. આ નોટો પર વાર્નિશનુ કોટિંગ કરેલુ હશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર ચલણમાં મુકવામાં આવશે અને એ પછીમોટા પાયે તેને બજારમાં ઉતરાવની બેન્કની તૈયારી છે.વાર્નિશ કોટિંગ કરવાનુ કારણ નોટોને વધારે ટકાઉ અને સુરક્ષિત બનાવવાનુ છે. હાલની 100ની નોટ બહુ જલ્દી […]