શહેર પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટ મુજબ અશ્લીલ ફિલ્મોને લગતા કેસના સંદર્ભમાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો છે કે, તે પતિ રાજ કુન્દ્રાની પ્રવૃત્તિઓથી પરિચિત નહોતી. કારણ કે, તે પોતાના કામમાં વ્યસ્ત રહે છે. શેટ્ટીનું નિવેદન પોલીસે કુંદ્રા (46) અને તેના સહયોગી રાયન થોર્પે વિરુદ્ધ બુધવારે મેજિસ્ટ્રેટ કૉર્ટ સમક્ષ દાખલ કરેલી લગભગ 1,500 પાનાની ચાર્જશીટનો ભાગ છે. આ વર્ષે જુલાઈમાં ધરપકડ કરાયેલા કુંદ્રા સામેનો કેસ કથિત રીતે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ પર તેને પ્રકાશિત કરવા સાથે સંબંધિત છે.ચાર્જશીટ મુજબ શિલ્પા શેટ્ટીએ પોલીસને જણાવ્યું કે, તેને હોટશોટ્સ અને બૉલિવૂડ ફેમ એપ્સ અંગે કંઇ જ ખબર નથી. જેનો આરોપ કથિત રીતે અશ્લીલ કન્ટેન્ટ અપલોડ અને સ્ટ્રીમ કરવા માટે કરવામાં આવે છે.શેટ્ટીએ દાવો કર્યો હતો કે, તેને ખબર નહોતી કે તેના પતિ કામમાં વ્યસ્ત હોવાથી શું કરી રહ્યા છે. અન્ય એક અભિનેત્રી શેર્લિન ચોપરાએ તેના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે, કુંદ્રાએ તેને ‘કોઈપણ ખચકાટ વગર’ હોટશોટ્સ એપ માટે કામ કરવા કહ્યું હતું. પરંતુ, આ અંગે શેર્લિન ચોપરાએ કામ કરવાની ના પાડી દીધી હતી. ચોપરાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, તેણે ‘ધ શેર્લિન ચોપરા એપ’ નામની મોબાઈલ એપ બનાવવા માટે કંપની આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરાર કર્યો હતો. ચોપરાએ દાવો કર્યો હતો કે, કરાર મુજબ તેને આવકની 50 ટકા રકમ મળવાની હતી. અન્ય એક સાક્ષી સેજલ શાહે પોલીસને જણાવ્યું કે, તેણે માર્ચ 2020 માં લોકડાઉન દરમિયાન હોટશોટ્સ એપ માટે ત્રણ ફિલ્મો બનાવી હતી. ચાર્જશીટમાં સિંગાપોરના રહેવાસી યશ ઠાકુર અને લંડન સ્થિત પરદીપ બક્ષીને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
Related Articles
IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે
કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી […]
પીએમ મોદીએ મમતા બેનર્જીને ફોન કરી બંગાળના પૂરની માહિતી મેળવી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી કે, દામોદર વેલી કૉર્પોરેશન (ડીવીસી) કથિત રીતે ડેમમાંથી બિનઆયોજિત રીતે પાણી છોડે છે. જેના કારણે રાજ્યમાં ‘માનવસર્જિત’ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. વડાપ્રધાને બેનર્જીને ફોન કરીને પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્યમાં પરિસ્થિતી સામાન્ય […]
દિલીપ કુમારનાં ફેંફ્સામાં પાણી ભરાતા હોસ્પિટલમાં ખસેડાયા
હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલીપ કુમારને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી અને હાલ તેમને હોસ્પિટલમાં મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે. દિલીપ કુમારના ટ્વીટર એકાઉન્ટ પરથી જ તેમના બીમાર હોવાની જાણકારી આપવામાં આવી હતી. દિલીપ કુમાર ગત મહિને પણ હિંદુજા હોસ્પિટલમાં દાખલ થયા હતા. […]